રાજકોટ
News of Friday, 23rd July 2021

રાજકોટમાં છેલ્લા ૧૫ કલાકમાં કોરોનાનો એકપણ રિપોર્ટ પોઝિટિવ નહિ

કુલ આંક ૪૨,૭૮૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૧૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા.૧૬:  શહેરમાં  ગઇકાલ સાંજે ૮ વાગ્યાથી આજ બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા  સતત ચોથા  દિવસે બપોર સુધીમાં '૦' રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૧૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.  ગઇકાલે ૨૦૦૧ કુલ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૫ ટકા થયો  હતો.  આજ દિન સુધીમાં ૧૨,૪૭,૫૩૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૨ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:18 pm IST)