વાલ્મીકીનગરમાં એકલા રહેતા વૃધ્ધા શાંતાબેન રાઠોડનું બીમારી સબબ મોત
આઠ મહિલા પહેલા પુત્ર અને છ મહિના પહેલા પતિના મૃત્યુ બાદ વૃધ્ધા એકલવાયુ જીવન ગાળતા હતા
રાજકોટ,તા. ૨૩: જામનગર રોડ પર આવેલ વાલ્મીકીનગરમાં એકલવાયુ જીવન ગાળતા વૃધ્ધાનું બીમારી સબબ મોત નિપજ્યુ હતું
મળતી વિગત મુજબ જામનગર રોડ નવી કોર્ટની સામે વાલ્મીકીનગરમાં એકલા રહેતા શાંતાબેન મનજીભાઇ રાઠોડ (ઉવ.૭૦) ગઇ કાલે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઇ ગયા હતા. પાડોશી તેને જમવાનું આવવા જતા વૃધ્ધાને બેભાન હાલતમાં પડેલા જોઇને ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ અજયસિંહ ચુડાસમા તથા રાઇટર રાકેશભાઇએ કાર્યવાહી કરી હતી. મૃતક શાંતાબેનના પુત્રનું આઠ મહિના પહેલા ત્યારબાદ છ મહિના પહેલા પતિનું મૃત્યુ થયા બાદ પોતે એકલા રહેતા હતા. તેઓ ઘણા સમયથી બીમાર રહેતા હતા.