રાજકોટ
News of Monday, 23rd May 2022

કાલે રાજકોટમાં રાજયપાલજીના અધ્‍યક્ષ સ્‍થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન

રાજકોટ, તા. ર૩ :  રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યના અધ્‍યક્ષ સ્‍થાને આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ રાજકોટના પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમમાં તા. ર૪ મેના રોજ સવારે ૧૦ કલાકે યોજાશે.
કાર્યક્રમમાં રાજયપાલશ્રીના હસ્‍તે પ્રાકૃતિક કૃષિ ઉત્‍પાદન સ્‍ટોલ્‍સનું ઉદ્‌્‌ઘાટન અને પ્રાકૃતિક સ્‍ટોલનું નિરીક્ષણ તેમજ પ્રાકૃતિક કૃષિની સાફલ્‍ય ગાથા બુકનું વિમોચન કરાશે. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ તથા અન્‍યો શિબિરમાં ઉપસ્‍થિત રહેશે.

 

(4:26 pm IST)