શ્યામ ગ્રુપ દ્વારા ગણેશભકિત
શ્યામ ગ્રુપ દ્વારા ૧૩ માં વર્ષે સ્વામિનારાયણ ચોકમાં ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ હતુ. લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયાએ આગવી શૈલીમાં સંચાલન સંભાળી સૌને ભકિતસાગરમાં ધુબાકા મરાવ્યા હતા. આ પ્રસંગે પધારેલ મહેમાનો સર્વશ્રી મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પૂર્વ ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસકપક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, પૂર્વ શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કાર્યાલય મંત્રી હરીશભાઇ જોષી, કોષાધ્યક્ષ અનીલબાપા, જીતુભાઇ સેલારા, ભરતભાઇ બોરીયાના હસ્તે આરતી કરવામાં આવી હતી. રવિવારે બપોરે વિશેષ પૂજા અર્ચના સાથે મૂર્તિ વિસર્જન કરવામાં આવેલ. ધર્મોત્સવને સફળ બનાવવા શ્યામ ગ્રુપના નારણભાઇ બોળીયા, રોહીતભાઇ બોળીયા, દિનેશભાઇ બોળીયા, મેહુલભાઇ રાઠોડ, યોગેશભાઇ સોની, ભુપતભાઇ પટેલ, આત્મનભાઇ દુદકીયા, વજુભાઇ લુણાસીયા તેમજ દાદાના ભકતજનોએ જહેમત ઉઠાવી હતી.