News of Tuesday, 21st September 2021
કોર્પોરેટર જયમીન ઠાકરે ધ્યાન દોર્યા બાદ બજરંગવાડી વિસ્તારમાં ફુડ શાખાનું ચેકીંગ
રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૨માં કોર્પોરેટર જયમીન ઠાકરે મ.ન.પા.નું ધ્યાન દોર્યા બાદ ફુડ શાખા દ્વારા બજરંગવાડી શેરી નં. ૬માં બજરંગ પ્રોવિઝન સ્ટોર સામે જગદીશભાઇ લાઠીયાની દુકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકીંગ દરમ્યાન ૪૫ કિલો જલેબી બનાવવાનો આથો, ૧૨ કિલો જલેબી તથા ૫ કિલો દાઝીયુ તેલનો નાશ કરવામાં આવ્યો હતો.
(3:49 pm IST)