News of Tuesday, 21st September 2021
નવનિયુકત મંત્રીઓની મુલાકાત લેતા ગુણુભાઈઃ સરગમની પ્રવૃતિઓથી વાકેફ કર્યા
રાજકોટઃ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ના નવનિયુકત મંત્રીઓની રૂબરૂ મુલાકાત લઇ સરગમ કલબની પ્રવૃત્તિઓથી તેમને વાકેફ કર્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિઓ ની સચિત્ર માહિતી સાથેની પુસ્તિકા પણ સુપ્રત કરી હતી.
ગુણવંતભાઈ ડેલાવાળાએ ગાંધીનગરમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ કિરીટસિંહ રાણા, રાઘવજીભાઈ પટેલ, હર્ષભાઇ સંઘવી, રૂષીકેશ પટેલ, પુરણેશભાઇ મોદી, જીતુભાઇ વાઘાણી, અરવિંદભાઇ રૈયાણી તમામ મંત્રીઓએ સરગમી પ્રવૃત્તિની પુસ્તિકા નિહાળી હતી અને આવી પ્રવૃત્તિ બદલ અભિનંદન આપ્યા હતા.
(3:49 pm IST)