રાજકોટ
News of Saturday, 21st May 2022

૨૯મીના રવિવારે રજપુત યુવક-યુવતિનો જીવનસાથી પસંદગી સમારોહ

રાજકોટઃ શ્રી મહા  ગુજરાત સમાજ મહામંડળ, ગુજરાત-કચ્‍છના સહયોગથી અને જે ભગવાન મેરેજ બ્‍યુરોના સંયુકત ઉપક્રમે યુવક-યુવતિના જીવનસાથી પસંદગી સમારોહ અભયભાઇ ભારદ્વાજ હોલમાં  તા.૨૯ રવિવારે સવારે ૯ વાગ્‍યે રાખવામાં આવેલ છે. ગુજરાતમાંથી યુવક-યુવતીઓ તેમના વાલી સાથે આ સમારોહમાંભાગ લેવા આવશે. યુવક-યુવતિના ફોટા સહિતની બાયોડેટા (વિગત) દર્શાવતી બુક પણ દરેકને વિનામુલ્‍યે આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્‍યક્ષ શ્રી કિશોરભાઇ એમ. રાઠોડ (મો. ૯૮૭૯૫ ૩૬૩૩૫) પૂર્વ પ્રમુખ-મહા ગુજરાત રજપુત સમાજ મહામંડળ, રાજકોટના માર્ગદર્શનમાં સમગ્ર કમિટિ મેમ્‍બરશ્રીઓ શ્રી પ્રવિણભાઇ ભટ્ટી, શ્રી ઘનશ્‍યામ ડોડીયા, શ્રી પંકજભાઇ પઢીયાર, શ્રી ભાવેશભાઇ ખંઢેરીયા અને શ્રી પ્રવિણભાઇ પરમાર  જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:22 pm IST)