૨૯મીના રવિવારે રજપુત યુવક-યુવતિનો જીવનસાથી પસંદગી સમારોહ
રાજકોટઃ શ્રી મહા ગુજરાત સમાજ મહામંડળ, ગુજરાત-કચ્છના સહયોગથી અને જે ભગવાન મેરેજ બ્યુરોના સંયુકત ઉપક્રમે યુવક-યુવતિના જીવનસાથી પસંદગી સમારોહ અભયભાઇ ભારદ્વાજ હોલમાં તા.૨૯ રવિવારે સવારે ૯ વાગ્યે રાખવામાં આવેલ છે. ગુજરાતમાંથી યુવક-યુવતીઓ તેમના વાલી સાથે આ સમારોહમાંભાગ લેવા આવશે. યુવક-યુવતિના ફોટા સહિતની બાયોડેટા (વિગત) દર્શાવતી બુક પણ દરેકને વિનામુલ્યે આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ શ્રી કિશોરભાઇ એમ. રાઠોડ (મો. ૯૮૭૯૫ ૩૬૩૩૫) પૂર્વ પ્રમુખ-મહા ગુજરાત રજપુત સમાજ મહામંડળ, રાજકોટના માર્ગદર્શનમાં સમગ્ર કમિટિ મેમ્બરશ્રીઓ શ્રી પ્રવિણભાઇ ભટ્ટી, શ્રી ઘનશ્યામ ડોડીયા, શ્રી પંકજભાઇ પઢીયાર, શ્રી ભાવેશભાઇ ખંઢેરીયા અને શ્રી પ્રવિણભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.