News of Tuesday, 23rd January 2018
આગામી ૨૫મીએ મતદાતા દિવસઃ રાજકોટમાં દિવ્યાંગ અને શતાયુ મતદારોનું થશે ભવ્ય બહુમાન
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમઃ શ્રેષ્ઠ ૨૪ BLO - એક નાયબ મામલતદાર - ૮ સુપરવાઇઝરોનું પણ સન્માન
રાજકોટ તા. ૨૨ : આગામી તા. ૨૫મીએ રાજકોટ સહિત રાજ્યભરમાં અને દેશભરમાં ચૂંટણી પંચ મતદાતા દિવસ ઉજવશે.
આ અંગે રાજકોટમાં પણ ૨૫મીએ સવારે ૧૧ વાગ્યે સંભવતઃ મહિલા કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા, ૪ દિવ્યાંગ મતદારો અને ૪ શતાયુ મતદારોનું મોમેન્ટો - પ્રમાણપત્ર - શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરાશે.
આ ઉપરાંત ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી દાખવનાર વિધાનસભા બેઠક દીઠ ત્રણ-ત્રણ બુથ લેવલ ઓફિસરો, જિલ્લા દીઠ એક નાયબ મામલતદાર અને વિધાનસભા બેઠક દીઠ એક-એક સુપરવાઇઝરનું સન્માન કરાશે.
હાલ આ બાબતે કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્ક્રુટીની થઇ રહી છે, બુધવારે નામો ફાઇનલ થશે તેમ સાધનોએ ઉમેર્યું હતું.
(8:59 am IST)