News of Tuesday, 20th October 2020
લક્ષ્મીનગરમાં પુરૂષોતમ માસ ઉજવણી
શહેરના લક્ષ્મીનગર-ર/૭ ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિરે પવિત્ર પુરસોતમ માસની અમાસના શુભ દિવસે પરસોતમ ભગવાનને સાત ધાન (અનાજ)નું મંડળ, શ્રી રામેશ્વર મહાદેવ શૃંગાર તથા દિપકમાળા તથા સાંજે મહિલા મંડળ દ્વારા ધુન રાખેલ તેમજ આખો દિવસ દર્શનાર્થીઓ તેમજ બાળકોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. આ ધર્મ લાભ ગાંધીનગર નિવાસી શ્રીમતી સ્મીતાબેન જયેશભાઇ મહેતા પરિવારે લીધો હતો. સમગ્ર આયોજન માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હસમુખસિંહ ગોહિલ, વિક્રમસિંહ ગોહિલ તેમજ પુજારી દિનેશભાઇ દવે તથા બાળ સ્વયંસેવકો દિપ, પ્રેમ, રાજવીર, પ્રિન્સ, ભાર્ગવ, દિવ્યરાજ, કિશન વગેરેએ જહેમત ઉઠાવેલ.
(2:40 pm IST)