રવિવારે ભવ્ય લોકડાયરોઃ ૨૯મીએ શ્રી રાંદલમાતાજીના ૧૦૮ લોટા ઉત્સવ
એકતા મિત્ર મંડળ દ્વારા આયોજન : લોકડાયરામાં ગાયકો વિશાલ વરૂ, જયેશ ચાવડા, ઉમેશ ગઢવી, લખન ગઢવી, નીતિન ગઢવી, કૌશીકગીરી ગોસ્વામી જમાવટ કરશે
રાજકોટઃ એકતા મિત્ર મંડળ દ્વારા તા.૨૨ને રવિવારના રોજ રાત્રે ૯ વાગ્યે નિલકંઠ સિનેમાની સામે, કોઠારીયા રોડ ખાતે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં કલાકારો વિશાલભાઈ વરૂ, જયેશભાઈ ચાવડા, ઉમેશભાઈ ગઢવી, લખનભાઈ ગઢવી, નિતિનભાઈ ગઢવી, કૌશિકગીરી ગોસ્વામી સહિતના નામી કલાકારો પોતાના સૂરીલા સ્વરથી લોકોને ભાવવિભોર કરશે.
આ ઉપરાંત તા.૨૯ને રવિવારે નિલકંઠ પાર્ક શેરી નં.૫ દેવપરા કોઠારીય રોડ ખાતે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અગિયારસો માતાજીની ગોયણી પ્રસાદ લેશે તથા ભેટ સોગાત આપી સન્માનવામાં આવશે. આ પ્રસંગે ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા પણ હાજર રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવા માટે એકતા મિત્ર મંડળ પ્રમુખ હરિભાઈ રાઠોડ (મો.૯૯૨૪૬ ૦૧૮૭૦), ટ્રસ્ટી ઈંદુભા રાઓલ (મો.૯૮૨૫૦ ૮૬૨૭૭), દીપતિબેન સોલંકી અને પદ્માબા ચૌહાણ સહિતના જહેમત ઉઠાવી રહેલ છે.
તસ્વીરમાં પરેશભાઈ વોરા, અહેસાનભાઈ ચૌહાણ, ભાવેશભાઈ લુણાગરીયા, રિંકલબેન ગોસ્વામી નજરે પડે છે.