રાજકોટ
News of Friday, 20th May 2022

કું.હેતાંશી કેતન વોરાનું આરંગેત્રમ પ્રદર્શન

 સવાણી હોલ ખાતે કુ.હેતાંશી કેતન વોરાએ તેની ભરતનાટયમની કળાનું આરંગેત્રમ દ્વારા ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કર્યું. સવાણી હોય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશેષ અતિથિઓ ગિજુભાઇ ભરાડ, ભરતભાઇ યાજ્ઞિક અને રેણુબેન યાજ્ઞિક તથા અન્‍ય ગણ માન્‍ય પ્રેક્ષકો ઉપસ્‍થિત રહેલ. કુ.હેતાંશીએ ફકત સાત વર્ષની ઉંમરથી જ ભરતનાટયમનું શિક્ષણ શરૂ કરેલુ. ત્‍યારબાદ કઠોર સાધનાથી વિશારદની પરીક્ષા ‘એ' ગ્રેડમાં પાસ કરેલ. અમદાવાદની ‘નૃત્‍યભારતી સંસ્‍થા'ના ગુરૂશ્રી ચંદન ઠાકરો અને શ્રીમતી નિરાલી ઠાકરો પાસેથી આરંગત્રમની તાલીમ મેળવી ગુરૂઓની હાજરીમાં જ આરંગેત્રમની અતિ સુંદર પ્રસ્‍તુતિ કરીને પ્રેક્ષકોને દિગ્‍મૂઢ કરી દીધા હતા.

 

(3:25 pm IST)