રાજકોટ
News of Friday, 19th August 2022

જન્માષ્ટમીની શુભેચ્છા સાથે મેળાની ઉત્સાહથી મોજ માણજો : સ્વચ્છતા-તકેદારી રાખજો

નગરજનોને શુભકામનાઓ પાઠવતા મનપાના પદાધિકારીઓ

રાજકોટ, તા. ૧૮ : વિશ્વભરના હિન્દુઓના આરાધ્ય દેવ પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને અનુલક્ષીને ઉજવાતા જન્માષ્ટમીના તહેવાર નિમિતે નગરજનોને શુભેચ્છા પાઠવતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યુ છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ખૂબજ ઉત્સાહ અને આનંદથી માણે છે.
ત્યારે આ તકે પદાધિકારીઓએ જણાવ્યુ છે કે, સૌ સહપરિવાર આ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે, તહેવારો દરમિયાન વાહન અકસ્માત ન બને તેમજ લોક મેળામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવા અને સ્વચ્છતા જાળવવા પદાધિકારીઓ ખાસ અપીલ કરેલ છે

 

(3:42 pm IST)