News of Thursday, 19th May 2022
મનપાના ઇતિહાસમાં ગત વર્ષે સૌથી વધુ વેરા આવકઃ પ્રદિપ ડવ-પુષ્કર પટેલ
વેરા વસુલાતમાં કોઇ બાંધછોડ નહિં: વેરા વિભાગને અભિનંદન પાઠવતા મેયર તથા સ્ટે. ચેરમેન
રાજકોટ તા. ૧૯: જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧પના કોર્પોરેટર કોમલબેન ભારાઇના પ્રથમ ક્રમાંકના વેરા વસુલાત અંગેની ચર્ચા દરમિયાન મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે પણ ભાગ લીધો હતો.
મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને વેરા આવક અંગે જણાવેલ કે ગત વર્ષે કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી વધુ વેરાની આવક થઇ હતી. વેરામાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. હાલ પણ મિલ્કત સીલ અને જપ્તીની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવી વેરા શાખાને મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને અભિનંદન પણ પાઠવ્યા હતા.
(3:39 pm IST)