રાજકોટ
News of Thursday, 19th May 2022

ભગવતીપરાનો અકિલ ઉર્ફ લાલો પઠાણ મવડી વિસ્તારની સગીરાને ભગાડી ગયો

પરપ્રાંતિય ૧૬ વર્ષની બાળાના પિતાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૯: મવડી પ્લોટ વિસ્તારમાં રહેતી મુળ ઉત્તરપ્રદેશની ૧૬ વર્ષની બાળાને ભગવતીપરામાં રહેતો મુસ્લિમ શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે તાલુકા પોલીસે યુપીના વતની અને સેન્ટીંગ કામની મજુરી કરતાં યુવાનની ફરિયાદ પરથી ભગવતીપરાના અકિલ ઉર્ફ લાલો ઇબ્રાહીમભાઇ પઠાણ વિરૃધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે પોતાને બે સંતાન છે. જેમાં ૧૬ વર્ષની દિકરી તા. ૫/૫ના રોજ ઘરેથી સવારે સાડા નવેક વાગ્યે નીકળ્યા બાદ ગૂમ થઇ ગઇ હતી. તપાસ કરતાં એક મોબાઇલ નંબર મળ્યા હતાં. આ નંબર ભગવતીપરાના અકિલ ઉર્ફ લાલો નામના શખ્સના હતાં. એ શખ્સ પણ તેના ઘરે મળ્યો ન હોઇ શોધખોળ બાદ તેના વિરૃધ્ધ ફરિયાદ કરી હતી. સગીરા અને અકિલ ઉર્ફ લાલાનો સંપર્ક એક બીજા સાથે કેવી રીતે થયો? તેની તેની સગીરાના પિતાને ખબર નથી. તાલુકા પીએસઆઇ ડી. વી. ખાંભલા વધુ તપાસ કરે છે.

(4:37 pm IST)