રાજકોટ જીલ્લા પોલીસ-આરટીઓ દ્વારા અકસ્માત નિવારવા સલામતી માર્ગદર્શન શીબીર યોજાઇ
રાજકોટઃ ગઇકાલે જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ગ્રામ્ય ટ્રાફીક શાખા દ્વારા ૩રમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ગોંડલ યાર્ડના ૧૦૦ ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોને માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તે માટેની સમજ આપવામાં આવી હતી. જીલ્લા ટ્રાફીક શાખા દ્વારા નવા મોટર વ્હીકલ એકટની સમજ અને રોડ રસ્તાઓ ઉપર ટ્રાફીક સાઇન બોર્ડની સમજ પડે તે માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી પી.બી.લાઠીયા, પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા, નગર પાલીકા પ્રમુખ અશોકભાઇ, ગોંડલ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ, કનકસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્ય ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના અશ્વિન ભાલાળા સહીતના અધિકારીઓ-પદાધિકારીઓો ઉપસ્થિત રહયા હતા.