News of Saturday, 18th June 2022
ઘનશ્યામ જાદવને પીએચ.ડી.ની પદવી
રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાષા ભવનમાં રીસર્ચ કરતા ઘનશ્યામ ધનજીભાઇ જાદવએ ‘ઇન્વેસ્ટીગેશન ઓન સમ પેરોવસ્કાઇટ ટાઇપ મલ્ટિફેરોઇક એન્ડ સી.એમ.આર. કમ્પાઉન્ડસ' વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેઓએ ડો. જે. એ. ભાલોડીયાના માર્ગદર્શન હેઠળ કરેલ. ઉલ્લેખનીય છે કે તેમના ૧૭ જેટલા સંશોધનપત્ર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થઇ ચુકયા છે. પીએચ.ડી.ની પદવી બદલ તેઓને (મો.૯૨૬૫૬ ૧૫૮૪૩) ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:12 pm IST)