નરેન્દ્રભાઈના આટકોટના કાર્યક્રમ અંતર્ગત મહિલા મોરચાની બેઠક
રાજકોટઃ આગામી તા.ર૯ મેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આટકોટ ખાતે હોસ્પિટલના લોકાપર્ણના કાર્યક્રમમાં આવનાર હોય આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોન મહિલા મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વાગત પ્રવચન શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડાએ તેમજ સંચાલન લીનાબેન રાવલએ કરેલ.
આ તકે પ્રદેશ ભાજપ મંત્રીઁ બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયાએ મહિલા મોરચાના બહેનોને વિશેષ જવાબદારીઓની સોંપણી કરેલ અને માર્ગદર્શન પુરૂ પાડેલ.
આ તકે સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જીલ્લા- મહાનગરોના મહિલા મોરચાના અગ્રણીઓ સર્વેશ્રી રેખાબેન ડુંગરાળીયા, મંજુલાબેન દેત્રોજા, કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ, સીમાબેન જોષી, કાજલબેન, મમતાબેન રાવલ, પ્રજ્ઞાબેન ભાવંટી, જશવંતીબેન ઉજરીયા, રમીલાબેન મકવાણા, ગીતાબેન માલકી, અરૂણાબેન દેશાણી, મંજુબેન ગોહીલ, કાજલબેન સંઘાણી, અસ્મીતાબેન રાખોલીયા, જીજ્ઞાબેન પટેલ, રીનાબેન ભોજાણી, બીંદીયાબેન મકવાણા, મંજુલાબેન ચૌહાણ, દક્ષાબેન જોષી, રાધીકાબા પરમાર ઉપસ્થિત રહયા હતા. શહેર ભાજપ મહિલા મોરચાના પલ્લવીબેન પોપટ, મનુબેન રાઠોડ, મનીષાબેન સેરશીયા, પ્રકાશબા ગોહિલ ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરિવારના રમેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ, પી.નલારીયનએ જહેમત ઉઠાવી હતી.