News of Wednesday, 17th August 2022
સદ્ગુરૃ બાલમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સદગુરૃ બાલમંદિર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદીની ઉપસ્થિતીમાં કરાઇ હતી. રાસગરબા,મટકીફોડ તથા વિવિધ કૃષ્ણજન્મોત્સવના પ્રસંગો નાનાનાના ભૂલકાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષીએ જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇનો સદગુરૃ બાલમંદિરના પ્રિન્સીપાલ શ્રીમતી સ્મીતાબેન શાસ્ત્રીએ આભાર વ્યકત કરેલ.
(4:44 pm IST)