ભરવાડ સમાજ દ્વારા ૧૧મીએ સમૂહલગ્ન
રાજકોટ, તા.૧૬ : ગોપાલક સમુહલગ્ન સમિતી દ્વારા ભરવાડ સમાજના ૧૭મા સમુહલગ્ન ઉત્સવનું આયોજન તા.૧૧ ફેબ્રુઆરીને ગુરૂવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડીની આગળ, પારીજાત પાર્ટી પ્લોટ ખાતે રાખેલ છે.
સમગ્ર ભરવાડ સમાજ સંગઠીત થઈને આ ગોપાલક સમુહ લગ્ન સમિતીે વધારે ઉજ્જવળ કરે એવી ગોપાલક સમુહ લગ્ન સમિતી દ્વારા લાગણી વ્યકત કરી છે. છેલ્લા ૧૭ વર્ષોથી ૧૧૦૦થી પણ વધુ યુગલોએ આ લાભ લીધો છે. સમુહલગ્નમાં જોડાવા ઈચ્છુકોના વાલીઓએ ફોર્મ મેળવી લેવા.
આ સમૂહલગ્નમાં જોડાવા દિકરીની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને દિકરાની ઉંમર ૨૧ વર્ષથી ઉપર હોવી જોઈએ. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૭ રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોના કરેલ છે. શ્રી ગોપાલક સમુહલગ્ન સમિતી દ્વારા સમગ્ર ભરવાડ સમાજને આ સમૂહલગ્નમાં જોડાવા અનુરોધ કરેલ છે.