ત્રંબાની પૂજા સુરેલાને આપઘાત માટે મજબૂર કરનાર સાસરિયા સામે ગુન્હો
'તું કાયમ બીમાર રહે છે' રસોઈ બનાવવા બાબતે મેણાટોણા મારી સાસુ, સસરા, જેઠ અને નણંદ ત્રાસ આપતા'તા
રાજકોટ, તા. ૧૬ :. ત્રંબા ગામમાં રહેતી પરીણિતાને મરવા માટે મજબુર કરનારા સાસુ, સસરા, જેઠ અને નણંદ સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે. મળતી વિગત મુજબ રેલનગર શ્રધ્ધાપાર્ક બ્લોક નં. ૨૫માં રહેતી પૂજા (ઉ.વ. ૨૨)ના આઠ માસ પહેલા ત્રંબા ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસુ ગૌરીબેન સુરેલા, સસરા લક્ષ્મણ ગોકુળભાઈ સુરેલા, જેઠ બ્રીજેશ લક્ષ્મણ સુરેલા, નણંદ આરતી નાની-નાની બાબતે મેણાટોણા મારી 'તું કાયમ બિમાર રહે છે' તથા રસોઈ બનાવવા બાબતે ત્રાસ આપતા જેથી કંટાળી પરિણીતાએ ફીનાઈલ પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક પૂજાના ભાઈ વિપુલ રાજુભાઈ દારોદરા (ઉ.વ. ૨૮) (રહે. રેલનગર શ્રધ્ધાપાર્ક બ્લોક નં. ૨૫) એ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઈ. એન.એસ. સવનીયાએ તપાસ આદરી છે.