રાજકોટ
News of Wednesday, 14th February 2018

કોંગ્રેસ દ્વારા શિવ રથયાત્રાનું સ્વાગત

 મહાશિવરાત્રીના પર્વ નિમિતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ રથયાત્રા નીકળી હતી. કમલેશ્વર મહાદેવ મંદિર, સોરઠીયાવાડી સર્કલથી પસાર થઇ રેસકોર્સ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક ખાતે પહોંચતા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ શિવ રથયાતરાનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, યોગેશ પટેલ, રાજૂ જુંજા, જીજ્ઞેશભાઇ સભાડ, પ્રવિણ સોરાણી, પ્રવિણ કાકડીયા, રાજૂભાઇ શેઠ, હસુભાઇ ગોસ્વામી, હેમંત વીરડા, જગદીશ ડોડીયા, દર્શન ગોસ્વામી, નીલેશ વિરાણી, અમુભાઇ પરમાર, ડો. મુકેશગીરી ગોસ્વામી, રાજેશગીરી ઇશ્વરગીરી ગોસ્વામી, રણજીતસિંહ વાઘેલા, પરેશભાઇ શિંગાળા, વિજયભાઇ નકુમ, જીતુભાઇ ઠાકર, જયાબેન ચૌહાણ, અનિતાબેન સોની, સુશીલાબેન, હંસાબેન, મયુરભારતી ગોસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

(5:06 pm IST)