News of Sunday, 14th August 2022
પડધરીના તરઘડી ખાતે રાજકોટ જિલ્લાનો સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ : જીતુભાઇના હસ્તે ધ્વજવંદન : શાનદાર પરેડ
સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન : વિવિધ ટેબ્લોનું ખાસ આકર્ષણ : ખાસ રીહર્સલ યોજાયું
રાજકોટ તા. ૧૩ : ભારતની આઝાદીના ૭૬માં વર્ષમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે તા. ૧૫ ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ પડધરી તાલુકામાં તરઘડી ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે સવારે ૯ વાગ્યે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાશે. મંત્રીશ્રી વાઘાણીના હસ્તે ધ્વજવંદન થયા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય સેનાની તથા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
ધ્વજવંદન બાદ શાનદાર પરેડ થશે, ૧ કલાકનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. પુરવઠા સહિતની સરકારી કચેરીઓના ટેબ્લોનું ખાસ આકર્ષણ રહેશે, તરઘડી ગામને ખાસ શણગારાયું છે, તમામ કર્મચારીઓ - અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઇ છે, આજે ખાસ રીહર્સલ યોજાયું હતું.
(1:25 pm IST)