રાજકોટ
News of Saturday, 14th August 2021

તાજીયા સંદર્ભે ગાઇડ લાઇનને અનૂસરવા ડો. બેલીમનો અનુરોધ

રાજકોટઃ પવિત્ર મહોર્રમ માસ નિમિતે તાજીયા સંદર્ભે રાજકોટ શહેર પોલિસ કમિશ્નર દ્વારા જાહેર કરાઍલી ગાઇડ લાઇનને અનુસરી તાજીયા દર્શન સમયે શોશ્યલ ડિસ્ટન્સ વગેરે રાખવાનો અનુરોધ રાજકોટ શહેર તાજીયા કમિટિના પૂર્વ પ્રમુખ ડો. અબ્દુલ બેલીમે કર્યો છે. પોલિસ કમિશ્નર દ્વારા તાજીયા તહેવાર સંદર્ભે આપેલી છુટછાટો આવકારી તેમનો ત્થા મુસ્લિમ આગેવાનોનો આ તકે આભાર માની મુસ્લિમ સમાજે કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરવા યાદીમાં જણાવ્યું છે. 

(3:51 pm IST)