એકસ આર્મી ઓફીસર મનન શ્રીકાંતભાઇ ભટ્ટની ફરીયાદના આધારે અજાણ્યા ભૂમાફીયાઓ સામે ગુન્હો નોંધાતા આヘર્ય
રાજકોટ, તા., ૧૪: વળીયાવાળી ચાલીમાં વડીલોપાર્જીત ભાડાના મકાનમાં ૮૦ વર્ષથી રહેતા નૌસેનાના નિવૃત અધિારી મનન શ્રીકાંતભાઇ ભટ્ટના પરિવારના રહેણાંકને ભૂમાફીયાઓએ આસપાસના લાગુ મકાન ઉપર બુલડોઝર ફેરવી કરેલા નુકશાન અને ધાક-ધમકીથી મકાન ખાલી કરાવવા માટે કરેલા પ્રયાસો અંગે મનન ભટ્ટે જીલ્લા પોલીસ વડાને કરેલી રજુઆત સંદર્ભે અંતે ગઇકાલે ભાવનગર પોલીસે ૩૪, ૪૨૭, ૫૦૬(ર) મુજબ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એકસ આર્મી મેન મનન ભટ્ટ દ્વારા જીલ્લા પોલીસ વડાને લેખીત અરજી કરવામાં આવી હતી. જેમાં બળજબરીથી મકાન ખાલી કરાવવા પ્રયાસો કરતા આરોપીઓના નામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ નોંધાયેલી એફઆઇઆરમાં આરોપીની કોલમમાં અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરાતા આヘર્ય સર્જાર્યુ છે.