News of Saturday, 14th May 2022
મનપામાં અરજદારો ‘દરવાજે હાથ દઇ' પાછા ફર્યા : ભારે હાલાકી -ધરમધક્કા
કનક રોડ તરફનો ગેઇટ ખુલ્લો હોવા છતા પ્રવેશ માટે પ્રજાને ફાંફા પડયા : કોર્પોરેશનમાં મોટાભાગના વિભાગો ખાલી : કયાંક એકલ-દોકલ કામ થયા
રાજકોટ,તા. ૧૩ : મુખ્યમંત્રી બન્યા બાદ આજે પહેલીવાર ભૂપેન્દ્રભાઇ કોર્પોરેશનની મુલાકાતે આવ્યા હતા. તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના પ્રોટોકોલ અનુસંધાને મનપા દ્વારા ગઇ કાલે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અરજદારો-લોકોને પ્રવેશવા માટે ત્રણમાંથી બે ગેઇટ બંધ બરી માત્ર કનક રોડ તરફનો ગેઇટ ખુલ્લો રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જો કે આજે માત્ર એક ગેઇટમાંથી જ પ્રવેશ હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉપરાંત મનપાના દરવાજે હાથ દઇને પાછા ફરવું પડયુ હતું. ઓફીસના પણ મોટા ભાગના વિભાગો અરજદારોના પ્રવેશ ન થવાથી ખાલીખમ રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:28 pm IST)