News of Monday, 13th September 2021
મોજ નદીમાં ઘોડાપૂર આવતાં મોજખીજડિયાના ૨૫૦થી વધુ લોકોન ચિત્રાવડની પ્રાથમિક શાળામાં સ્થળાંતર
રાજકોટ તા.૧૩ : રાજકોટ જિલ્લામાં અતિ ભારે વરસાદ અવિરત વરસી રહયો છે ત્યારે જામકંડોરણા તાલુકાના મોજખીજડિયા ગામે ભારે વરસાદના કારણે મોજ નદીમાં ઘોડાપૂર આવતાં આ ગામમાં પાણી ફરી વળતા વહિવટી તંત્ર દ્વારા ૨૫૦થી વધુ લોકોને નજીકના ચિત્રાવડ ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.
(4:00 pm IST)