પ.પૂ. રણછોડદાસજીબાપુના પરમ ભકત અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂના પિત્રાઇભાઇ રાજેશભાઇનું દુઃખદ અવસાન : આજે પ્રાર્થના સભા
છેલ્લા દોઢ મહિનાથી મુંબઇ ખાતે સારવાર હેઠળ હતાઃ રાજકોટના પરાબજાર વિસ્તારમાં અગ્રણી વેપારી તરીકે નામના ધરાવતા હતા
રાજકોટ : પ.પૂ. રણછોડદાસજીબાપુના આશ્રમ, રાજકોટ ખાતે આખા વર્ષ દરમ્યાન નિત્ય ૧૦૮ પ્રદક્ષિણા કરનાર અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના પિત્રાઇભાઇ રાજેશભાઇ જયંતિભાઇ પોબારૂ (ઉ.વ.૬પ)નું ગઇકાલ તા. ૧૧-૯-ર૦ર૧ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા તથા સસરા પક્ષની સાદડી આજે તારીખ ૧૩-૯-ર૦ર૧, સોમવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ વાગ્યા દરમિયાન જનકલ્યાણ કોમ્યુનીટી હોલ, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે તેવું રાજુભાઇ પોબારૂ, દિપકભાઇ પોબારૂ, માધવભાઇ પોબારૂ તથા ધવલભાઇ પોબારૂની યાદીમાં જણાવાયું છે.
સ્વ. રાજેશભાઇ છેલ્લા દોઢ મહિનાથી મુંબઇ ખાતે સારવાર હેઠળ હતા અને અંતે તેઓએ ગઇકાલે ફા ની દુનિયાને અલવિદા કહી દીધું હતું સરળ, શાંત, સૌમ્ય તથા હંમેશા અન્યોને મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવતા સ્વ. રાજેશભાઇ રાજકોટના પરાબજાર વિસ્તારમાંૈ અગ્રણી વેપારી તરીકે (ભારત કન્ફેકશનરી) ભારે નામના ધરાવતા હતા. સ્વર્ગસ્થના પુત્ર માધવભાઇ પોબારૂ (રાજવી ઇન્ટરનેશનલ, રાજકોટ મો. નં. ૯૮૭૯પ ૯૦૯૧૮) શેર બજારનું ઘણું મોટું નેટવર્ક ધરાવે છે. સ્વ. રાજેશભાઇના પિતાશ્રી સ્વ. જયંતિભાઇ પોબારૂ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ રહી ચુકયા હતા. સ્વ. રાજેશભાઇ પોબારૂ તેમની પાછળ તેમના પત્ની ગં.સ્વ.જયશ્રીબેન, માતુ શ્રી ગં.સ્વ. મંગળાબેન પુત્ર માધવભાઇ, પુત્રવધુ ટીંકલબેન, પુત્રી અંજલીબેન મિલનકુમાર પારકીયા સહિતના કુટુંબીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.