News of Monday, 13th June 2022
ભગવાન જગન્નાથજીને નગરયાત્રા કરાવવા માટે રથનું નિમાર્ણકાર્ય પુરજોશમાં
રાજકોટ : અષાઢી બીજે ભગવાન જગન્નાથજીને ભાવિકો વાજતે ગાજતે રથમાં બેસાડી નગરયાત્રા કરાવે છે. ત્યારે કોરોના કાળ પછી આ વખતે લાંબા વિરામ બાદ ઉત્સવી આયોજન માટે ભાવિકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. ભગવાન શ્રી જગન્નાથજી, ભાઇ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રજીને નગરયાત્રા કરાવવા રાજકોટના જગન્નાથજી મંદિરે જોરશોરથી તૈયારીઓ આદરવામાં આવી છે. ખાસ કલાકૃતિવાળા રથનું નિર્માણ કાર્ય આરંભી દેવાયુ છે. તસ્વીરમાં સંતોના માર્ગદર્શન હેઠળ રથ તૈયાર કરતા કારીગરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(5:13 pm IST)