રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું યોજાયુ સ્નેહમિલન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિ : રાજકોટના વેપાર - ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવા ખાતરી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.નું વાર્ષિક સ્નેહમિલન ગઇકાલે યોજાયું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં રાજકોટના વેપાર ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નોનો નિવેડો લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. પ્રસ્તુત તસ્વીરમાં પ્રવચન કરતા મુખ્યમંત્રી નજરે પડે છે. ડાયસ પર ભાજપના નેતાઓ નજરે પડે છે. તસ્વીરમાં નીચે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરતા ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ નજરે પડે છે તે પછી મુખ્યમંત્રીનું સન્માન કરાયું તે દેખાય છે. અંતિમ તસ્વીરમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયેલ હસ્તીઓ નજરે પડે છે. આ પ્રસંગે પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)