વોર્ડ નં. ૪ માં દલીત વિસ્તારો વિકાસ વગરનાં: ન્યાય માટે લડવા અપક્ષ કિશોરભાઇની ખાત્રી
રાજકોટઃ વોર્ડ નં. ૪ ની પેટા ચુંટણીમાં અપક્ષ તરીકે ઝુકાવનાર સામાજીક કાર્યકર કિશોરભાઇ જાદવે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આઝાદી પછી લોકસભા વિધાનસભા મહાનગર પાલીકાની અનેક ચુંટણી આવી વોર્ડ નં. ૪ ના દલીત, પીડીત, શોષીત ગરીબ સમાજના લોકોએ વિશ્વાસથી કોંગ્રેસ અને ભાજપ પાર્ટીઓને ખોબલે ખોબલે મતો આપ્યા પણ દલીત સમાજના વોર્ડ નં. ૪ ની સમસ્યાનો ઉકેલ આવ્યો નહી. દલીત પીડીત શોષીત, ગરીબ સમાજના મતો મેળવી ભાજપ-કોંગ્રેસ સતાના સુત્રો સંભાળે છે પછી સતામાં બેસીને દલીતોના પ્રશ્નો ભુલી જાય છે. ખોટા વચનો આપીને પછી ઇમાનદારીથી પ્રજાના પડતર પ્રશ્નો હલ વોર્ડ નં.૪ના પડતર પ્રશ્નો આપણી સામે છે. હવે સમય આવી ગયો છે. કોંગ્રેસ-ભાજપને જાકારો આપવાનો (કોંગ્રેસ-ભાજપ કો ભગાયેગે નયી રોશની લાયેગે) વોર્ડ નં.૪ની પ્રજા પરિવર્તન ઇચ્છે જેથી આપણી મતની કિંમત થાય અને દલિત, પીડિત, શોષિત ગરીબ પ્રજાનો ઉદ્ધાર થાય તેવો હેતુથી આપણે જ પરિવર્તન લાવવું પડશે. વોર્ડ નં.૪માં ખુલ્લો વોંકળો, પછાત વિસ્તારના પ્રશ્નો માટે હું હંમેશા શાસન-પ્રશાસન સામે ઝજૂમતો આવ્યો છું. દલિત સમાજના સંગઠનો, વિસ્તારવાસીઓના તથા મિત્ર સર્કલ વડીલોના આશિર્વાદથી પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારથી ફોર્મ ભરેલ છે. મારૂ નિશાન ટ્રેકટર ચલાવતો ખેડૂત છે. વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા બનાવશો તેવી અપીલ છે. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કિશોરભાઇ, મુળજીભા પી. મકવાણા, રાજેશ એમ. રાઠોડ, હસમુખ આર. પરમાર, મકવાણા દિપક એ., કમલેશભાઇ વાઘેલા, સાગર કરમશીભાઇ જાટ, કાન્તીલાલ એમ. રાઠોડ, સતીષ એ. સોલંકી વગેરે સાથે હતાં તે વખતની તસ્વીર (તસ્વીર- સંદીપ બગથરીયા)