પ્રેમ હૈ દ્વાર પ્રભુકા...ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે વેલેન્ટાઇન ધ્યાનોત્સવ
રાજકોટ : આવતીકાલે તા. ૧૪ ને બુધવારે વેલેન્ટાઇન દિવસ નિમિતે, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજે ૬-૩૦ થી ૮.૩૦ દરમ્યાન ઓશોના પ્રેમ પરના કિર્તન જેવા કે પ્રેમ કા માર્ગ જીના જીના, અકથ કહાની પ્રેમ કી, ત્થા પ્રેમ હૈ દ્વાર પ્રભુકા ના ઓશો ના પ્રવચનો સંધ્યા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું
પ્રેમ સર્વાવિક મહત્વપૂર્ણ ઘટના છે. પરંતુ પ્રેમ કોઇ ઘટના નથી. પ્રેમ જ જીવન છે જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું. જેણે પ્રેમ નથી જાણ્યો તેણે ફકત મરવુ જાણ્યું છે. પ્રેમ જીવનનું બીજુ નામ છે અને જે દિવસે તમારી ભીતર પરમાત્મા નાચવા લાગે છે.
ઉપરોકત વેલેન્ટાઇન દિવસના ઉત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી - પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશ તથા અશોકભાઇ રાવલે અનુરોધ કરેલ છે.
સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ
વિશેષ માહિતી : સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, અશોકભાઇ રાવલ (મોરબી) ૮૪૬૯૭ ૬૦૯૪૭