રાજકોટ
News of Saturday, 13th January 2018

મંડપ માટે રસ્તામાં 'ખાડો ખોદે તે જ બુરે'

મંડપ સમિયાણા-કમાન નાખવા માટે કોન્ટ્રાકટરો દ્વારા રસ્તામાં ખાડા ખોદી નંખાય છે અને પછી આ 'ખાડા' ધીમે ધીમે મોટા થઈ રસ્તામાં ગાબડા પડે છે, અકસ્માતો થાય છે, ત્યારે તંત્ર ઉપર દોષનો ટોપલો ઢોળવાને જે લોકો આવા ખાડા ખોદે છે. તે જ ખાડાઓ બુરી દેવાની નૈતિક જવાબદારી લ્યે તો મોટી નુકશાની અટકે તેવુ સુચન શહેર કોંગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ નિરવ આર. દવે (મો. ૭૯૮૪૮ ૭૪૮૮૫) દ્વારા કરાયુ છે. તસ્વીરમાં મંડપ માટે ખોદેલા ખાડા દર્શાય છે

(4:13 pm IST)