કાલાવડ રોડ ક્રાઇસ્ટ કોલેજ પાસે ગગજીભાઇ સોલંકીનું બીમારી સબબ મોત
રાજકોટ તા. ૧૩ :.. કાલાવડ રોડ પર ક્રાઇસ્ટ કોલેજ સામે ખવાસ રજપૂત વૃધ્ધનું બીમારી સબબ મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ ક્રાઇસ્ટ કોલેજ સામે એક અજાણ્યો પુરૂષ બેભાન હાલતમાં પડયો હોવાની જાણ થતા ૧૦૮ મારફતે તેને સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે. જે. વાધોસી તથા રાઇટર ગીરીરાજસિંહ જાડેજાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી. વૃધ્ધના વાલી વારસની શોધખોળ આદરી હતી. તપાસ કરતા મેટોડા જીઆઇડીસીમાં રહેતા વૃધ્ધના ભાણેજે આ મૃતક વૃધ્ધ ગગજીભાઇ સોલંકી (ઉ.૬૦) હોવાનું જણાવ્યું હતું. તે એ. જી. ચોકમાં લટ ટેમ્પલ પાસે ફુટ પાર્થ ઉપર રહેતા હતાં. અને ત્રણ વર્ષ પહેલા જીન્યસ સ્કુલમાં બસ ચલાવતા હતા તેઅપરણીત હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ આદરી હતી.