રાજકોટ
News of Friday, 12th August 2022

૮૮ મામલતદારોની બદલીઃ રાજકોટના ૮સહિત પ૧ નાયબ મામલતદારોને બઢતી

પી. જી. ગોહિલ દ્વારકા, માકડિયા જુનાગઢ, ગઢવી રાજકોટ પૂર્વ, મહાવદિયા રૂડામાં મૂકાયા : સાંચલા રાજકોટ કલેકટર કચેરીમાં પી.આર.ઓ.: મહેતા તાલાળામાં, ગીણોયા અબડાસામાં

રાજકોટ તા. ૧ર :.. રાજયના મહેસુલ વિભાગ દ્વારા ગઇકાલે સાંજે ૮૮ મામલતદારોની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ૮ સહિત પ૧ નાયબ મામલતદારોને વર્ગ-ર માં મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.

મામલતદારોની બદલી

ચુડાના જીતેન્‍દ્ર દેસાઇને અસારવા અમદાવાદ, ભાવનગર સીટીના પ્રદીપસિંહ ગોહીલને સાવરકુંડલા, મુળીના કે. એસ. પટેલને પાલિતાણા, જામનગર સીટીના જે. ડી. જાડેજાને તળાજા, ધંધુકાના એન. આઇ. બ્રહ્મભટ્ટને બોટાદ ગ્રામ્‍ય, ભાણવડના ડી. એમ. રીંડણી કલ્‍યાણપુર, માળિયા હાટીનાના પી. એ. ગોહીલ ગાંધીનગર હસ્‍તકલા નિગમમાં  જામનગર કોર્પોરેશનના બી. જે. પંડયા, જામનગર શહેર, વંથલીના પી. એસ. ભૂરિયા કડાણા, અમરેલીના એમ. ટી. ધનવાણી, ઉપલેટામાં રાજકોટ પૂર્વના કેતન ચાવડા, રાજકોટ ચૂંટણી શાખામાં અમરેલીના આર.બી. ગઢવી રાજકોટ પૂર્વમાં, ધોરાજીના કે. ટી. જોલાપરા ચોટીલા, રાજકોટના જે. વી. કાકડિયા ચૂડામાં મામલતદાર તરીકે મૂકાયા છે.

નાયબ મામલતદારોની બઢતી

રાજકોટના જે. ડી. નંદાણીયાને અધિક ચીટનીસ સુરેન્‍દ્રનગર, ડી. એન. લુવાને કુતિયાણા, એચ. આર. સાંચલાને જનસંપર્ક અધિકારી રાજકોટ કલેકટર કચેરી, એન. જી. રાદડિયાને કોડીનાર, એ. જી. મહેતાને તાલાળા, એસ. આર. ગીણોયાને અબડાસા, વી. પી. રાદડિયાને સુરેન્‍દ્રનગર ડીઝીસ્‍ટરમાં આર. જી. લુણાગરીયાને ધારી મામલતદાર તરીકે બઢતી સાથે મૂકવામાં આવ્‍યા છે. ઉપરાંત જામનગરના સી. ઓ. કગથરાને દ્વારકા, સુરેન્‍દ્રનગરના આર. એન. દહીમાને અમદાવાદ, પી. આર. ત્રિવેદીને વડોદરા ચૂંટણી શાખામાં નિમણુક આપવામાં આવી છે.

(12:47 pm IST)