ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા
રાજકોટમાં ૭પમા સ્વાતંત્ર્ય દિનની - અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રેસકોર્સ બહુમાળી ચોકથી ભવ્ય તિરંગા યાત્રા શરૃ થઇ હતી, તે પહેલા ૧ કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ, તસ્વીરમાં સ્ટેજ ઉપર સીએમ શ્રી ભુપેન્દ્રભાઇ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, નજરે પડે છે, આ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ આવી પહોંચતા તેમનું શાનદાર સ્વાગત કરાયું તે જણાય છે, સ્ટેજ ઉપર પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી, ડો. વલ્લભભાઇ કથિરીયા, ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, વિગેરે જણાય છે, બીજી તસ્વીરમાં પોલીસ બાઇક સ્વારો ભારત માતાના ફલોટ સાથે તિરંગા યાત્રામાં જોડાયા તે જણાય છે, ૧ લાખથી વધુ લોકો ઉમટી પડયા હોય ઠેરઠેર દેશભકિતનો માહોલ જોવા મળ્યો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)