રૂ. ૩ લાખ ૪૮ હજારનો ચેક પાછો ફરતાં આરોપીને હાજર થવા હુકમ
રાજકોટ તા. ૧રઃ રૂ. ૩,૪૮,૪રપ/-નો ચેક રીર્ટન થતા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં, ચેક રીર્ટનની ફરિયાદ થતા અદાલતે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.
ફરિયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરિયાદી અમરસિંહભાઇ મેરૂભાઇ ચાવડા ''અલંકાર મંડપ'' ના નામે રહે. ગામ વડીયા તા. વડીયા જી. અમરેલી, ધંધો કરે છે તેમજ સાથો સાથ આ કામના ફરિયાદી 'અલંકાર જવેલર્સ''ના નામે સોનાના દાગીના બનાવવાનો તથા વહેંચવાનો ધંધો સુવર્ણ મંદિર-ર, ગ્રાઉન્ડ ફલોર, સવજીભાઇની શેરી, સોની બજાર, રાજકોટમાં પણ કરે છે. જયારે આ કામના આરોપી રમેશભાઇ મોહનભાઇ ભલગામા, રહે. 'નવદુર્ગા સ્ટીલ'' હુડકો ચોકડી, મુરલીધર વે-બ્રીજવાળી શેરી, કિસાન ગૌ શાળા પાસે, માટેલ પાનનાં, સહજાનંદ-ર, રીંગ રોડ પાસે, રાજકોટ ખાતે મંડપને લગતા તમામ માલ-સામાન વહેંચવાનો ધંધો કરે છે. આમ, આ કામના આરોપી તથા ફરિયાદીને મંડપને લગતો ધંધો કરતા હોય તે સંબંધથી આ કામના આરોપી તથા ફરિયાદી ધંધાકીય મિત્ર થાય છે અને એ રીતે આરોપી અને ફરિયાદી વચ્ચે ધંધાકીયા સંબંધ રહેલ છે. તે સંબંધના લીધે ફરિયાદીએ આ કામના આરોપીને ઉધારમાં સોનાના કંગન જેની કિંમત રકમ રૂ. ૧,૮૭,૭૭૧/- છે અને સોનાના બે ચેન જેની કિંમત રકમ રૂ. ૧,૬૦,૬પ૦/- આમ, મળીને કુલ કિંમત રકમ રૂ. ૩,૪૮,૪રપ/- ની ખરીદી બાકીમાં કરેલ હોય જેથી ફરિયાદીએ રકમની માંગણી કરતા ફરિયાદીએ આરોપી દ્વારા ફરિયાદીને પેઢીના નામ જોગ અલંકાર જવેલર્સના નામનો એક એકાઉન્ટ પેઇ ચેક બેંક ઓફ બરોડા માંડવી ચોક, રાજકોટ શાખાનો ચેક આપેલ હતો. જે પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ થયેલ છે.
ફરિયાદી અમરસિંહભાઇ મેરૂભાઇ ચાવડાએ આરોપી રમેશભાઇ મોહનભાઇ ભલગામા વિરૂધ્ધ ધી નેગોશીયબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની રાજકોટના એડી. ચીફ જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ફરિયાદ કરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવાં અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.
આ કામના ફરિયાદી અમરસિંહભાઇ મેરૂભાઇ ચાવડા તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, કમલેશ એચ. વોરા તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.