શિવધામ સ્મશાન મવડી ખાતે ૨૨મીના સમુહ અસ્થિપુજન
૨૭મીના હરિદ્વાર ખાતે ગંગાનદીમાં અસ્થિ વિસર્જન
રાજકોટઃ શ્રી મોટામવા ઓમકાર ટ્રસ્ટ સંચાલિત મવડી ‘શિવધામ' સ્મશાન ગૃહમાં તા.૧/૯/૨૧ થી ૨૧/૮/૨૨ સુધીમાં આપ્તજનોના અગ્નિસંસ્કાર વિદ્યુત કે લાકડામાં થયેલ છે. તે તમામ સ્વર્ગસ્થના અસ્થિઓનું સમુહમાં ભારતીય સંસ્કૃતિ અને શાષાોકત વિધિ મુજબ તા.૨૨ સોમવારના રોજ પુજન કરવામાં આવશે.
શાષાોકત વિધિ માટે બ્રાહ્મણની તેમજ પુજન સામગ્રીની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સ્વ.ના આપ્તજનોને સમયસર હાજર રહેવા એક અપીલ કરાઈ છે. સમુહ અસ્થિપુજન બાદ તમામ અસ્થિઓનું ફરીથી શાષાોકત વિધિથી પુજન કર્યા બાદ તા.૨૭/૮ના રોજ હરીદ્વાર કનખલઘાટ ખાતે ગંગા નદીના વહેતા પ્રવાહમાં વિસર્જન કરવામાં આવશે. તેમ શ્રી મોટા મવા ઓમકાર ટ્રસ્ટના પ્રમુખશ્રી પરસોતમભાઈ રામજીભાઈ લીલાની યાદી જણાવ્યું છે.