નગરજનોને ગણેશ ઉત્સવની શુભકામના તથા સંવત્સરી પ્રસંગે સમગ્ર જૈન સમાજના બહેનોને મિચ્છામિ દુકકડમ પાઠવતા પદાધિકારીઓ
રાજકોટ : મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા ગણેશ ચતુર્થી શુભઅવસરે શુભકામના તથા સંવત્સરીના પ્રસંગે સમગ્ર જૈન સમાજના ભાઈઓ, બહેનો, વડીલોને મિચ્છામિ દુક્કડમ પાઠવવામાં આવે છે.
જૈન ધર્મમાં સર્વ જીવોની ક્ષમાયાચના એક ખૂબ જ મોટું પાસું છે. ક્ષમા એક મોટું શસ્ત્ર છે. જીવનમાં ક્ષમાનો ગુણ ધરાવતા હોય તે સારી યોગ્યતા ગણાય છે. જૈન સમાજ તેમજ જનસમુદાયના કોઈપણ વર્ગને જાણે અજાણે મન દુભવ્યું હોય તો તે સર્વને મન, વચન અને કર્મથી મિચ્છામિ દુક્કડમ. તથા શહેરની સામાજિક સંસ્થાઓ, સોસાયટીઓ વિગેરે દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. કોરોના સમગ્ર નાશ પામેલ નથી જેથી ગણપતિ મહોત્સવના આયોજનમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેમજ સૌ સાવચેત રહે તેવી પદાધિકારીઓએ અપીલ કરી છે.