બજરંગ મિત્ર મંડળ દ્વારા કીટનું વિતરણ
શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૧૧૭ જરૂરિયાતમંદ લોકોને અનાજની કટીનું વિતરણ થયેલ જેનો પ્રારંભ દાતા દિલીપભાઇ સોમૈયાના હસ્તે થયો હતો જેમાં પ્રમુખ સ્થાને આયુર્વેદાચાર્ય ડો.કેતનભાઇ ભીમાણી અતિથિ વિશેષ તરીકે હોમીઓપેથ ડો. દિનેશભાઇ નગવાડીયા, કૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન નટુભાઇ કોટક, કરવેરાના સલાહકાર ધવલભાઇ ઇશ્વરભાઇ ખખ્ખર, દેવેન્દ્રસિંહ રાણા તથા ક્રષ્ણદત્ત રુદ્રદત્તભાઇ રાવલ, હસુભાઇ ગણાત્રા,કિશોરભાઇ બાબીયા, હિતેશભાઇ મહાદેવ, પ્રવીણભાઇ શાહ, જે.ડી.ઉપાધ્યાય, કાયમી દાતા ચંદુભાઇ ગોળવાળા તથા બકુલભાઇ ટીલાવટ, ચિરાગભાઇ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. સફળતા માટે ટ્રસ્ટીઓ કે.ડી.કારિઆ, રોહિતભાઇ કારિઆ, ધૈર્યભાઇ રાજદેવ, ગોરધનભાઇ લાલસત્તા, કિશોરભાઇ પારેખ તથા કાર્યકરો મનુભાઇ ટાંક, જીતુભાઇ દામાણી, દિનકરભાઇ રાજદેવ, મનીષભાઇ વસાણી, દિનેશભાઇ આડેસરા, માયાબેન ગોહેલ, રીનાબેન સોની, મનીષાબેન માલવાણીયા, અરજણભાઇ પટેલ, રક્ષાબેન કોટેચા, માલ્વીબેન ભારદીયા, ઇશાબેન તીલાવટ, રીટાબેન ભારદીયા એ જહેમત ઉઠાવેલ હતી.