શહેર ભાજપ દ્વારા ચિકીત્સા સેલની રચના
રાજકોટ તા. ૯: પ્રદેશ ભાજપની સુચના અનુસાર ભાજપ દ્વારા તમામ મહાનગર જિલ્લામાં વિવિધ સેલની રચના કરવામાં આવેલ છે તે અ઼તર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા શહેર ભાજપ ચિકીત્સા સેલની રચના કરવામાં આવેલ છે.
જે મુજબ સંયોજક તરીકે ડો. ચેતન લાલસેતા, સહ સંયોજક તરીકે ડો. નરેન્દ્ર વીસાણી, કારોબારી સભ્યમાં ડો. અરવીંદ ભટ્ટ, ડો. દેવેશ જોષી, ડો. મનોજ ઠેસીયા, ડો. મનહર કોરવાડીયા, ડો. મોહીત પાંભર, ડો. રાજેશ પટેલ, ડો. કીશોર દેવળીયાનો સમાવેશ કરેલ છે.
શહેર ભાજપ ચિકીત્સા સેલની આ નવનિયુકત ટીમને ગુજરાત મ્યુની. ફાઇનાન્સ બોર્ડના ચરેમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, સૌરાષ્ટ્ર ઝોનના ડોકટર સેલના સંયોજક ડો. અમીતભાઇ હપાણી સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.