News of Thursday, 9th February 2023
બજરંગ ગ્રુપ દ્વારા સ્વ.વીણાબેનને અંજલી
તાજેતરમાં અકિલા પરીવારના સદસ્ય વીણાબેન અજીતભાઇ ગણાત્રાના નિધનના સમાચાર જાણી બજરંગ ગ્રુપ પરીવાર ઘેરાશોકથી લાગણી વ્યકત કરી છે. દર રવિવારે નિયમીતપણે સવારે ચકલીના માળા અને બપોરબાદ લોહાણા વેવિશાળ કેન્દ્ર આ બંને સેવાઓની શરૂઆત કરતા પહેલા બંને કમિટિના સભ્યો દ્વારા સ્વ.શ્રી વીણાબેન ગણાત્રાને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી. બજરંગ ગ્રુપના કિશોરભાઇ કારીયા, હસુભાઇ ગણાત્રા, બટુકભાઇ રાચ્છ, મનુભાઇ ખંધેડીયા, પંકજભાઇ ચગ, હર્ષાબેન કકકડ, મીનાબેન છાગાણી, જયદીપ કોટેચા, પંકજભાઇ કારીયા, રાઘવભાઇ ગણાત્રા, હર્ષદસિંહ જાડેજા, લાલભાઇ ગણાત્રા, હેમલ ખંધેડીયા, ભગીરથસિંહᅠજાડેજા, હરિશભાઇ ધર્મેશભાઇ નંદાણી વગેરે કમિટિ મેમ્બર્સે શ્રધ્ધાંજલી આપવામાં સામેલ થયા હતા
(5:02 pm IST)