રાજકોટ
News of Saturday, 9th January 2021

શ્રી શ્યામલાલજીની હવેલીમાં અન્નકુટ દર્શન-જલેબી ઉત્સવ

રાજકોટઃ અહિંના પંચનાથ મંદિર મેઇન રોડ ઉપર જય સીયારામ પેન્ડા સામે આવેલ સુપ્રસિધ્ધ શ્રી શ્યામલાલજીની હવેલીમાં શ્રી ગુસાઇજીનો પ્રાગટય ઉત્સવ સાથે અન્નકોટ દર્શન રાખવામાં આવેલ. દિવસ દરમિયાન મંગળા દર્શન, પલના દર્શન, રાજભોગમાં તિલકની ઝાંખી તેમજ જલેબી ઉત્સવ મનોરથના દર્શનનો અનેક વૈશ્ણવોને લાભ મળ્યો હતો. તેમ શ્રી જયેશભાઇ મુખ્યાજી (મો.૮૫૧૧૭ ૬૩૭૬૩) એ જણાવ્યુ હતુ.

(2:49 pm IST)