બામણબોરમાં ૧૬ વર્ષની નેહાને પિતાએ વાસીંદા કરવા બાબતે ઠપકો દેતાં આપઘાત
રાજકોટ તા. ૭: બામણબોરમાં સોળ વર્ષની સગીરાને પિતાએ વાસીંદા કરવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બામણબોર રહેતી નેહા ભુપતભાઇ કણસાગરા (ઉ.૧૬)એ ગઇકાલે ઘરનાવાડામાં હુકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં કુવાડવા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારજનોના કહેવા મુજબ નેહા ત્રણ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી. તેના પિતા છુટક ડ્રાઇવીંગ કરી છે. પિતાએ ગઇકાલે નેહાને વાસીંદા કરી લેવા બાબતે ઠપકો આપ્યો હતો. એ પછી તેણી ઘરમાં જોવા ન મળતાં તપાસ કરતાં ગાયોના વાડામાં લટકતી દેખાતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.