રાજકોટ
News of Saturday, 7th August 2021

વાલ્મિકી વિકાસ સમિતિ દ્વારા શિક્ષક સન્માન : પ્રતિભાઓને પ્રોત્સાહિત કરતા નીતિન ભારદ્વાજ

વાલ્મિકી વિકાસ સમિતિ આયોજિત શિક્ષક સન્માન પ્રસંગે ભાજપ પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ ઉપરાંત કાર્યક્રમના સહયોગી ડી.બી.ખીમસૂરિયા, સુનિલ ગોહેલ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૭ : શિક્ષક સન્માન સમારંભ કાર્યક્રમ વાલ્મિકી વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા રૂડા બિલ્ડિંગ ના ઓડીટોરીયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.                
કાર્યક્રમમા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, વિધાનસભા-૭૧ ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પુર્વ પ્રમુખ અને કાર્યક્રમના સહયોગી ડી.બી. ખીમસુરીયા, સુનીલભાઈ ગોહેલ રહ્યા હતા. મહીલા મોરચાના ઉપપ્રમુખ જયશ્રીબેન પરમાર, વાલ્મીકિ સમાજના આગેવાન મુકેશભાઈ પરમાર તથા તુલસીભાઈ વાઘેલા, યતિનભાઈ વાઘેલા, કિરીટભાઈ વાઘેલા લોકગાયક કલાકાર વિજયાબેન વાઘેલા, પીન્ટુ પુરબીયા, મનસુખ ઝાલા, રામ પરમાર, ગીરધર વાઘેલા,કપીલ વાઘેલા રવિ વાઘેલા, નરેશ સરવૈયા, જગદીશ ઘાવરી યોવન મેવાડા તથા બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો બાદ પ્રસંગને અનુરૂપ ગુજરાત  પ્રદેશ આગેવાન નીતિનભાઈ  ભારદ્વાજે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે અનુસુચિત જાતિના બાળકોનુ પૈસાના વાંકે અભ્યાસ ના બગડે ગુજરાત સરકાર તમારી સાથે છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તમારી સાથે છે. વિધાનસભા-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ પોતાના વક્તવ્યમાં કહેલ અનુસુચિત જાતિ સમાજમા શિક્ષણ વધે તેના માટે સમાજના દરેક આગેવાનો આગળ આવે. આ સાથે વાલ્મીકિ વિકાસ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ વાઘેલા તથા તેમની આખી ટીમ દ્વારા મહેમાનોનુ સન્માન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું.

 

(4:12 pm IST)