News of Saturday, 7th August 2021
અકાલી હિન્દુ સેના દ્વારા અયોધ્યા ભુમિપૂજનની વર્ષગાંઠની ઉજવણી
અકાલી હિન્દુ સેના દ્વારા અયોધ્યા રામ જન્મભુમિ પૂજનની વર્ષગાંઠની ઉજવણી કરાઇ હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બાળકોને ભોજન, ગૌશાળામાં ગૌમાતાને નીરણ, મંદિરોમાં પ્રસાદ વિતરણ કરાયુ હતુ. સંગઠનના આગેવાનોએ ગુરૂકુલ સ્વામિનારાયણ તથા બીએપીએસ સ્વામિનારાણ મંદિરના સંતોની મુલાકાત લઇ મીઠુ મો કરાવ્યુ હતુ. રાજકોટની જેમ અમરેલીમાં પણ અકાલી હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી.
(11:44 am IST)