રાષ્ટ્રીય શાળા બાલમંદિરના ભુલકાઓ રાસે રમ્યાઃ લ્હાણી વિતરણ
રાજકોટઃ રાષ્ટ્રીય સંચાલિત શ્રીરમાબેન એચ.પંડયા બાલમંદિરના ૩થી ૪ વર્ષના નાના નાના ભુલકાઓ તાલ સાથે પોતાના તાલ મિલાવીને ઝુમી ઉઠયા હતાં. આ પ્રસંગે આર.સી.સી બેંકના સીઇઓ શ્રીપરસોતમભાઇ પીપળીયા ખાસ ઉપસ્થિત રહીને ભુલકાઓનો રાસોત્સવ નિહાળેલ સંસ્થાના ભુતપૂર્વ શિક્ષીકાબેન શ્રીગીતાબેન મહેતા તરફથી બાળકોને લાણી આપવામાં આવેલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીજીતુભાઇ ભટ્ટ સહિત શ્રીપરસોતમભાઇ પીપળીયા, શ્રી સુરેશભાઇ પરમાર, શ્રીદેવેન્દ્રભાઇ ધામી, શ્રીદેવેન્દ્રસિંહ રાણા, શ્રીનંદકિશોરભાઇ જોશી, શ્રીદેવજીભાઇ રાઠોડ, શ્રીસુનિલભાઇ ત્રિવેદી, શ્રીગુણુભાઇ ભટ્ટ, શ્રીકમલેશભાઇ મકવાણા, શ્રીરહીમભાઇ સાડેકી, શ્રીગઢવીભાઇ તેમજ ભુલકાઓના માતા-પિતા હાજર રહેલ સમગ્ર રાસોત્સવનું સંચાલન સંસ્થાનાં શ્રીમાધુરીબેન રાજાણી સહિત શ્રીનમ્રતાબેન પઢીયાર, અનિષાબેન સોલંકી, દર્શનાબેન ભાડલિયા, નિલમબેન સોલંકી તેમજ શ્રીસંજયભાઇ મકવાણાએ કરેલ.