રાજકોટ સહિત રાજયભરમાં કાલે વેરા નિરિક્ષક વર્ગ-ર ની પરીક્ષાઃ પ૧ કેન્દ્રોઃ ૧૧૭૮ર ઉમેદવારોઃ ૧૧ થી ૧ પેપર
રાજકોટ તા. ૬ :.. કાલે જીપીએસપી દ્વારા રાજકોટ સહિત રાજયના ૧૧ જીલ્લામાં વેરા નિરીક્ષક વર્ગ-ર ની લેખીત પરીક્ષા લેવાશે, પેપર સવારે ૧૧ થી લેવાશે, આ માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે.
કાલે રાજકોટમાં ૭ રૂટના પ૧ કેન્દ્ર ઉપર ૧૧૭૮ર ઉમેદવારો પરીક્ષા આપશે, આ માટે દરેક કેન્દ્ર ઉપર સુપરવાઇઝર અને તકેદારી અધિકારીઓ મુકાયા છે, જીપીએસપી દ્વારા રાજકોટના ૩ ડે. કલેકટરો - મામલતદારોને નોડલ ઓફીસર તરીકેની કામગીરી સોંપી છે, પરીક્ષા કેન્દ્રો આસપાસ ઝેરોક્ષ મશીનો બંધ કરવાના આદેશો કરાયા છે, મોબાઇલ-કેલ્યુકેલેટર ડીજીટલ વોચ પરીક્ષા કેન્દ્રોની અંદર લઇ જવાની મનાઇ ફરમાવાઇ છે. તેમજ પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની અંદર ર થી વધુ લોકોને એકઠા થવાની મનાઇ કરાઇ છે. કોરોના ગાઇડ લાઇન અંતર્ગત સોશ્યલ ડીસ્ટન્સ-ફેસ માસ્ક વિગેરે સુચના છે.