મનપામાં ૧૩ સફાઇ કામદારો કાયમી : નિમણુંક પત્ર અપાયા
રાજકોટ : મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ૧૩ જેટલા સફાઈ કામદારોએ સ્વૈચ્છિક રાજીનામું આપતા ૨ સફાઈ કામદાર તથા ૯ સફાઈ કર્મચારી ચાલુ ફરજે અવસાન પામતા સફાઈ કામદારના વારસદારને, રોજમદાર તરીકે ૨ સફાઈ કામદારના દિવસો પુરા થતા કાયમી નિમણૂંકના ઓર્ડર મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર વગેરેના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે જણાવેલ કે, સફાઈ કામદારોમાં વારસદાર દરજ્જે નોકરી આપવાની પ્રથા રાખેલ છે. જેથી તમો તમારી ફરજ નિષ્ઠાથી બજાવજો અને શહેરને સ્વચ્છ રહે તે માટે તમારૂ યોગદાન મુખ્ય છે.