ચારણ યુવાનની હત્યા અંગે જામનગર સ્નષ્ટને રજૂઆત
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૫ : જામનગર શહેર નજીક આવેલ વિસ્તારમાં માં ચૂંટણીની રાત્રે ચારણ યુવાનો પર એક ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી .એ હુમલા માં એક ચારણ યુવાન ની હત્યા થઈ અને બે ચારણ યુવાનો ઘાયલ થયા હતા. પ્રાથમિક રીતે જે એફ.આઇ.આર.રજીસ્ટર કરવામાં આવી એમાં માત્ર ત્રણ જ હુમલાખોરનો ઉલ્લેખ કરવાનું ધ્યાને આવ્યું હતું. ખરેખર ઘાયલ વ્યકિત અને નજર ના સાક્ષી પ્રમાણે હુમલો કરનારા પાંચ વ્યકિતઓ હતો તેવી વાત સાથે ચારણ સમાજના લોકો એકત્ર થઈ ને એસ.પી. પ્રેમસુખ ડેલુને રૃબરૃ મળીને એફ.આર. આઇમાં ગુનેગારોના નામનો ઉમેરો કરવા અંગે ચારણ સમાજના અગ્રણીઓ હાજર રહી જે રજૂઆત કરી હતી તેને સકારાત્મક પ્રતિસાદ એસ.પી. એ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.(તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)