કાલે ભવાનીધામમાં રાજપૂત સમાજની એકતાના દર્શનઃ ૩૦ હજાર લોકો માટે ભોજન વ્યવસ્થા
વઢવાણ તાબેના વસ્તડી ખાતે ભવાનીધામમાં યોજાનાર શષા પૂજન પ્રસંગની સ્થળ પર ચાલી રહેલ તૈયારીની ઝલક.
રાજકોટ તા. ૪ :.. ભવાનીધામ ખાતે યોજાનાર શષાપૂજન સમારોહમાં સમગ્ર ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના વિવિધ ફીરકાઓનું વિશાળ એકત્રીકરણએ કદાચ ઇતિહાસની આ પ્રથમ ઘટના છેલ્લા રપ વર્ષથી ચાલતી એકતાનું પ્રતિક બની રહેશે. તેમ વિક્રમસિંહ પરમાર, ડો. અનિરૂધ્ધસિંહ પઢીયાર શ્રી તેજસભાઇ ભટ્ટીએ સંયુકત યાદીમાં જણાવેલ છે. સમસ્ત રાજપૂત સમાજના વડીલો-સર્વ આગેવાનોના માર્ગદર્શનથી છેલ્લા વીસ દિવસથી સતત પ્રવાસ-મીટીંગો અને જનજાગૃતિનાં કાર્યો દ્વારા સમગ્ર સમારોહને આખરી ઓપ અપાઇ રહયો છે. જેમાં વિશાલ બેઠક વ્યવસ્થા ૩૦ હજાર લોકોની ભોજન વ્યવસ્થા-૩૦ એકર માં વિશાલ પાર્કીંગ વ્યવસ્થા ૩૦ હજાર પૂજન કીટ સહિતની વ્યવસ્થા માટે મુખ્ય વ્યવસ્થા કમીટી મેમ્બરો સર્વશ્રી વિક્રમસિંહ ડો. અનિરૂધ્ધભાઇ, મહેશભાઇ રાઠોડ, અજીતસિંહ મસાણી, ઘનશ્યામસિંહ-હરપાલસિંહ રાઠોડ ભવાનીધામ ખાતે રાઉન્ડ ધ કલોક હાજર રહી આજે સંપૂર્ણ વ્યવસ્થાનું રીહર્સલ કરી રહ્યા છે તે તસ્વીરમાં નજરે પડે છે. વઢવાણ તાલુકાના વસ્તડી ખાતે ભવાનીધામનું નિર્માણ થઇ રહ્યુ છે. કાર્યક્રમ કાલે દશેરાના દિવસે સાંજે ૪ વાગ્યે યોજાનાર છે.